Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો ચુસ્ત અમલ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નાઈટ પેટ્રોલીંગ : 15થી વધુ શહેરીજનો કમિશ્નરની ઝપટે ચડતા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરાઈ

પોલીસ કમિશનર દ્વારા તમામ પોઇન્ટ પર અધિકારીઓ અને પોલીસ કર્મીઓને કોરોના મહામારીમાં જરૂરી સૂચન કરાયા

રાજકોટ : રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો ચુસ્ત અમલ થઇ રહયો છે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આજરોજ નાઈટ પેટ્રોલીંગ કરી તમામ પોઇન્ટ્સ પર અધિકારીઓ અને પોલીસ કર્મીઓને કોરોના મહામારીમાં જરૂરી સૂચન કરવામાં આવ્યું. રસ્તા પર વોકિંગમાં નીકળતા 15થી વધુ શહેરીજનો કમિશ્નરની ઝપટે ચડતા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:10 am IST)