Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ચૈત્ર નવરાત્રી વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય

કોઈપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાના મહત્વ વિશે શ્રીકૃષ્ણ  ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા અઘ્યાય ૧૬, શ્લોક ર૩ અને ર૪ માં આજ્ઞા આપી છે. તેથી નવરાત્રીના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જોઈએ.

     વિક્રમ સંવત – ર૦૭૭ ચૈત્ર નવરાત્રી શરૂ – ચૈત્ર સુદ એકમ – તા. ૧૩/૦૪/ર૦ર૧ વાર : મંગળવાર

        ચૈત્ર નવરાત્રી પૂર્ણ – વિક્રમ સંવત – ર૦૭૭ – ચૈત્ર સુદ  નોમ – તા.ર૧/૦૪/ર૦ર૧ વાર : બુધવાર

મંગળવાર    ચૈત્રસુદ – ૧      નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે.

બુધવાર      ચૈત્રસુદ – ર      નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે.

ગુરૂવાર      ચૈત્રસુદ – ૩      નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘન્ટાની પૂજા કરવામાં આવે છે.

શુક્રવાર      ચૈત્રસુદ – ૪      નવરાત્રના ચોથા દિવસે માં કૂષ્માણ્ડાની પૂજા કરવામાં આવે છે.

શનિવાર     ચૈત્રસુદ – પ      નવરાત્રીના પાંચમાં દિવસે માં સ્કન્દમાતાની પૂજા કરવામાં આવે છે.

રવિવાર      ચૈત્રસુદ – ૬      નવરાત્રીના છઠૃા દિવસે માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે.

સોમવાર     ચૈત્રસુદ – ૭      નવરાત્રીના સાતમાં દિવસે માં કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે.

મંગળવાર    ચૈત્રસુદ – ૮      નવરાત્રીના આઠમાં દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

બુધવાર      ચૈત્રસુદ – ૯      નવરાત્રીના નવમાં દિવસે માં સિઘ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીના વ્રત વિશે શાસ્ત્રમાં પ્રમાણ

શ્રીમદ્ ભગવતી ભાગવતના સ્કંધ ત્રીજામાં અઘ્યાય ર૬ થી ૩૦ અંતર્ગત નવરાત્રીના વ્રત વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં જન્મેજય રાજાના પૂજવાથી શ્રી વેદ વ્યાસ ભગવાન નવરાત્રીના વ્રત વિશે કહે છે.

નવરાત્રીના વ્રત વિશે શ્રી વેદ વ્યાસની આજ્ઞા :

હે રાજન ! વસંત ઋતુ અને શરદ ઋતુ માં નવરાત્રીનું વ્રત ખાસ વિધિપૂર્વક અવશ્ય કરવું જોઈએ. કારણ કે આ બંને ઋતુઓ ભયમની દાઢભ એ નામે સર્વલોકમાં કહેવાય છે. આ લોકમાં તે બંને ઋતુઓ પ્રાણીઓ માટે વિતાવવી કઠીન ગણાય છે. તેથી મનુષ્યએ આ વ્રત કાળજીથી કરવું જોઈએ.

             ચૈત્ર અને અશ્વિન માસમાં ભકિતપૂર્વક ચંડિકા દેવીનું પૂજન કરવું જોઈએ.

નવરાત્રી વ્રત વિધિ

*વ્રત કરનાર મનુષ્યએ વ્રતના આગલા દિવસે (અમાવસ્યાએ) એક વાર સાદુ અને હલકુ જમવું.

*નવરાત્રીના પ્રથમ દિવસે ઘરે અથવા તિર્થ સ્થળે વિધિપૂર્વક સ્નાન કરવું.

*દેવીની સૌમ્ય, અત્યંત સુંદર, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરતાં સિંહ ઉપર બેઠેલા રત્નો મોતીના હારથી શોભતા ચંદ્રજગોથી સ્તવન કરાતા શ્રી દેવીને સિંહાસન પર સ્થાપવા અથવા અઢાર ભુજાવાળા સનાતની દેવીને પૂજા માટે લઈ શકાય.

*દેવીના પાઠ કરવા માટે નવ, પાંચ, ત્રણ કે એક બ્રાહ્મણ કહેલ છે.

*પ્રથમ ઉપવાસ, રાત્રિ ભોજન અથવા દિવસમાં એક વખત ભોજનનો નિયમ લેવો પૂજા કરવી અને શ્રી શિવાદેવીને આમ પ્રાર્થના કરવી.

હે માતા ! હું સર્વોત્ત્।મ નવરાત્રી વ્રત કરશી, માટે હે માતા ! હે દેવી જગદંબા ! તમે મને સંપૂર્ણ સહાય કરજો.

શ્રી દુર્ગામાતાનું પૂજન

*ચંદન, અગરૂ, કપુર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના પુષ્પો, સુંદર બિલ્લીપત્ર, ધૂપ તથા દિપકો વડે વિધીથી માતાજીનું પૂજન કરવું.

*શ્રી દુર્ગા માતાને નાળીયેર, બીજોરા, દાડમ, કેળા, નારંગી, ફણસ, બીલા તથા ઋતુ અનુસાર અમૃત જેવા સ્વાદિષ્ઠ ફળો અર્પણ કરવાં.

*કુમારીકાઓનું પૂજન કરવું.

નવરાત્રી વ્રતમાં કુમારીકાઓનું પૂજન :

શ્રી વેદ વ્યાસ કહે છે કે, બે વર્ષથી લઈને દશ વર્ષ સુધીની કન્યાને પૂજનમાં લેવી.

*જેમાં બે વર્ષની કન્યાને કુમારીકા કહી છે.

– કુમારીકાના પૂજનનો મંત્ર :

કુમારહ ચ તત્યાનિ યા સૃજત્પતિ લીલયા ા

કાદીનપિ ચ દેવાંસ્તાન્ કુમારી પૂજયામ્યહમ્ ાા

     – જે દેવી કુમારના તત્વોને અને બ્રાહ્મણાદિ દેવોને લીલાથી સરજે છે તે કુમારીકા દેવીને હું પૂજંુ છું.

*ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂરત કહી છે.

ત્રિમૂરતના પૂજનનો મંત્ર

– જે શકિત સ્વરૂપવાળા માતા સત્વ વગેરે ત્રણ મૂર્તિવાળા તે જ ગુણો વડે અનેક સ્વરૂપોથી મુકત અને ત્રણેય કાળમાં વ્યાપ છે તે ત્રિમૂર્તિરૂપ દેવીને હું પૂજું છું.

ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહી છે.

કલ્યાણીના પૂજનનો મંત્ર

– હંમેશા પૂજેલા જે દેવી ભકતોનું કલ્યાણ કરનારા તથા સર્વ કામનાઓ આપનાર છે તે કલ્યાણિ દેવીને હું ભકિતથી પૂજું છું.

*પાંચ વર્ષન કન્યાને રોહિણી કહી છે.

રોહિણીના પૂજનનો મંત્ર

– જે દેવી સર્વ જીવોએ પૂર્વ જન્મમાં એકઠા કરેલા (કર્મરૂપ) બીજોને ઉગાડનાર છે, તે રોહિણીને હું પૂજંુ છું.

છ વર્ષની કન્યાને કાલીકા કહી છે.

કાલીકાના પૂજનનો મંત્ર

– જે કાલીકાદેવી સૃષ્ટિના પ્રણ્ય સમયે સ્થાવર–જંગમ સહિત સર્વ બ્રહ્માંડોનો નાશ કરે છે તે કાલીકાને હું પૂજંુ છું.

સાત વર્ષની કન્યાને ચંડિકા કહી છે.

ચંડિકાના પૂજનનો મંત્ર

– જે ચંડિકા દેવી ઉગ્ર પાપોને હરનારા છે તે ચંડિકાદેવીને હંુ પૂજંુ છું.

*આઠ વર્ષની કન્યાને શાંભવી કહી છે.

સાંભવી દેવીના પૂજનનો મંત્ર

– જે દેવી સ્વરૂપ વેદોએ દેવીની ઉત્પતિ અકારણ થી કહી છે જેમની ઉત્પતિ પોતાની જ છે, બીજા કોઈ કારણ થી નથી તે સુખ આપનારા શાંભવી દેવીને હું પૂજંુ છું.

* નવ વર્ષની કન્યાને દુર્ગા કહી છે.

દુર્ગા દેવીના પૂજનનો મંત્ર

– જે દેવી ભકતોને પડેલી મુશ્કેલી પીડાઓનો નાશ કરનારા તથા ભકતોનું સદા રક્ષણ કરનારા છે તથા સર્વ દેવોને જે જાણવા મુશ્કેલ છે તે દુર્ગાદેવીને હું પૂજું છું.

દશ વર્ષની કન્યાને સુભદ્રા કહી છે.

સુભદ્રા દેવીના પૂજનનો મંત્ર

– પૂજેલા જે દેવી સદા ભકતોના શ્રેષ્ઠ કલ્યાણ કરે છે તથા અગણિતનો સદા નાશ કરે છે તે સુભદ્રા દેવીને હું પૂજંુ છું.

આ નવ મંત્રો નવ કન્યાઓના પૂજન વખતે બોલવાના છે.

આ મંત્રો વડે મનુષ્યોએ વસ્ત્રો, અલંકારો, પુષ્પો તથા જાતજાતના સુગંધી દ્રવ્યો તથા પદાર્થોથી કન્યાઓનું પૂજન કરવું તથા અન્નદાન વગેરે દાન આપવું.

પૂજનમાં રોજ એક કન્યા વધારતા જઈ પૂજવી અથવા રોજ બે ગણી કે ત્રણ ગણી કન્યા વધારવી અથવા રોજ નવ–નવ કન્યાઓનું પૂજન કરવું.

ખૂબ ભકિતથી પૂજન કરનારને શ્રી દુર્ગામાતાની કૃપાથી ધર્મ, અર્થ, કામથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે છે.

અશકત મનુષ્યો માટે નવરાત્રી વ્રત

શ્રી વેદ વ્યાસ કહે છે હે રાજન ! નવરાત્રીના વ્રતમાં (દરરોજ) ઉપવાસ કરવાં પણ જેઓ અશકત હોય તેઓ માટે (આંતરે આંતરે) ત્રણ ઉપવાસો કહયાં છે. તે પણ શાસ્ત્રોમાં કહયાં મુજબનું ફળ આપે છે.

સાતમ, આઠમ અને નોમના દિવસે ખૂબ ભકિતભાવ તથા શ્રઘ્ધાથી શ્રી દુર્ગામાતાનુંં પૂજન કરવાથી સર્વ ફળ મળે છે.

નવરાત્રી વ્રતનું ફળ

પૂજા, હોમ, કુમારીકાઓનું પૂજન તથા બ્રહ્મભોજન કરાવવાથી આ વ્રત સંપૂર્ણ થયેલું કહેવાય છે. શ્રી વેદ વ્યાસ કહે છે કે, આ વ્રત કાયમ વધારનાર સ્વર્ગદાયી તથા ધનધાન્ય, સુખ, આરોગ્ય, વિદ્યા, યશ, સૌભાગ્ય આપનાર છે, તેથી મનુષ્યએ આ વ્રત શાસ્ત્રવિધિ મુજબ ખૂબ શ્રઘ્ધા ભકિતપૂર્વક શ્રી દુર્ગામાતાનું આ કલ્યાણકારી નવરાત્રી વ્રત કરવું.

સંકલન : શ્રી નિશીથભાઈ ઉપાઘ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪ર ૯પ૦૭૪

(3:01 pm IST)