Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટ જિલ્લામાં ૧૦ દિવસમાં ૨૭ તલાટી મંત્રીઓને કોરોના

ચિંતા વ્યકત કરતા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ચિરાગભાઇ ગેરૈયા

રાજકોટ તા. ૧૩ : કોરોના મહામારીના કપરાકાળમાં પણ જીવના જોખમે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી રહેલ તલાટીમંત્રીઓના આરોગ્ય પર પણ હવે ખત્રો સર્જાયો હોવાની ચિંતા રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગભાઇ ગરૈયાએ વ્યકત કરી છે.

તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે છેલ્લા ૧૦ દિવસની અંદર રાજકોટ જિલ્લામાં ૨૭ તલાટી મંત્રીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. રાજકોટ તાલુકામાં ૬, ગોંડલ તાલુકમાં ૩, વીંછીયા તાલુકામાં ૬, પડધરી તાલુકમાં ૩, જસદણ તાલુમામાં ૨, કોટડા તાલુકમાં ૨, ધોરાજી તાલુકામાં ર, લોધીકા તાલુકામાં ર અને જેતપુર તાલુકામાં ૧ તલાટી મંત્રી કોરોનાગ્રસ્ત બન્યા હોવાનું ચિરાગભાઇ ગરૈયાએ જણાવેલ છે.

(2:59 pm IST)