Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પૂ. ભારતીબાપુના આશિર્વાદ 'અકિલા પરિવાર' ઉપર હમેશ વરસતા રહેશે...

મહામંડલેશ્વર પૂજ્ય ભારતીબાપુ સાથેના અવિસ્મરણીય સંસ્મરણો : ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પૂજ્ય ભારતીબાપુ રાજકોટ 'અકિલા' કાર્યાલયમાં પધાર્યા હતા અને અકિલા પરિવારના સર્વશ્રી કિરીટભાઇ, અજીતભાઇ, મીનાબેન, હરીશભાઇ ચગ, દિપકભાઇ નાગ્રેચા, સુનિલભાઇ રાયચુરા, વિનુભાઇ જોશી સહિત પરિવારે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. પૂ. ભારતી બાપુએ આશિવર્ચન આપવા સાથે સત્સંગનો લાભ આપ્યો હતો. અકિલા પરિવાર ઉપર હમેશ પૂ. ભારતીબાપુના દિવ્ય આશિર્વાદ વરસતા રહ્યા છે. પૂ. બાપુ આપણી વચ્ચે સદેહે ઉપસ્થિત નથી પરંતુ તેઓની કૃપા દૃષ્ટિ હમેશ અકિલા ઉપર વરસતી રહેશે. પૂ. ભારતીબાપુ હમેશ કહેતા કે શિક્ષણ અને ધર્મને ધંધો નહિ બનાવશો. વ્યસન અને ફેશનથી દૂર રહો, ગૌહત્યા અને અશ્લિલ ચેનલો બંધ કરાવી દયો. નરેન્દ્રભાઇ મોદીની નસ નસમાં હિન્દુત્વ વહે છે. વિપક્ષ પણ એમને ઇચ્છે છે.

(12:44 pm IST)