Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રામનવમી અને ડો. આંબેડકર જયંતિ નિમિતે શહેર ભાજપ દ્વારા શુભેચ્છા

હોસ્પિટલ ચોકમાં ડો. બાબા સાહેબને ફુલહાર : જયુબેલી ચોકમાં રામલલ્લાની શોભાયાત્રાનું સ્વાગત : તમામ શ્રેણીના કાર્યકરોને જોડાવા કમલેશ મિરાણીનો અનુરોધ

રાજકોટ તા. ૧૩ : આવતીકાલે તા. ૧૪ એપ્રિલના રામનવમી અને ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય શહેર ભાજપ દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ સવારે ૯.૩૦ વાગ્યે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિતે સીવીલ હોસ્પિટલ ચોકમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાશે. તમામ શ્રેણીના કાર્યકરોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

એજ રીતે કાલે રામનવમી હોય ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવના પણ વધામણા કરાશે. જયુબેલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે સવારે ૧૦ વાગ્યે રામનવમી નિમિતે આયોજીત શોભાયાત્રાને ફુલડે વધાવી સ્વાગત કરાશે. ભગવાન રામના નામનો જયજયકાર કરી માર્ગો ગજાવાશે.

બન્ને કાર્યક્રમોમાં તમામ શ્રેણીના કાર્યર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં અનુરોધ કરાયો છે.

(3:47 pm IST)