Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રાધેશ્યામ ગૌશાળા દ્વારા કાલે શોભાયાત્રા

રામાપીર ચોકડીએથી થશે પ્રારંભ, બાલાજી મંદિરે સમાપન

રાજકોટઃ રાધેશ્યામ ગૌશાળા (રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગ રોડ) દ્વારા આવતીકાલ તા.૧૪ના રવિવારે સવારે ૮:૩૦ કલાકે મહાપ્રસાદ (ફરાળ)નું આયોજન કરેલ છે. ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન રામપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતેથી શરૂ થઈ રામાપીર ચોકડી, નાણાંવટી ચોકડી, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, કરણસિંહજી બાલાજી મંદીર ખાતે શોભાયાત્રા વિરામ થશે. જયાં મહાઆરતી યોજાએલ છે. તસ્વીરમાં રાધેશ્યામ બાપુ (રાધેશ્યામ ગૌશાળા), નારણબાપુ (જુનાગઢ), જેન્તીભાઈ તેરૈયા, વિક્રમસિંહ પરમાર, નવિનભાઈ ગોરડીયા અને દિગેશ વાઘેલા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:39 pm IST)