Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રઘુવીર સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધ ભગવાનજીભાઇનો આપઘાત

રાજકોટ તા. ૧૩ : સહકારનગર મેઇન રોડ પાછળ રઘુવીર સોસાયટીમાં રહેતા કંસારા વૃધ્ધે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ રઘુવીર સોસાયટી શેરી નં. ૪માં રહેતા ભગવાનજીભાઇ જમનાદાસભાઇ પરમાર (ઉ.વ.૯૦) એ ગઇકાલે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એ.વી.પીપરોતર તથા રાઇટર રામદેવસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ભગવાનજીભાઇને સંતાનમાં બે પુત્ર છે. તે છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હોઇ, જેથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(3:49 pm IST)