Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જુલેલાલ જયંતિએ ધ્વજારોહણ-રકતદાન કેમ્પ-શોભાયાત્રાનું સ્વાગત : નવાનાકા જુલેલાલ મંદિર કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૩ : જુલેલાલ જયંતિ આવી રહી છે. ત્યારે સિંધી સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. તો નવાનાકા રોડ સિંધી કાપડ બજાર એસોસીએશન દ્વારા  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

નવાનાકા રોડ ઉપર આવેલ શ્રી જુલેલાલ મંદિરે તા. ૧૮ ના રવિવારે સવારે ૮:૩૦ ધ્વજારોહણ, બાદ ૧૦:૩૦ થી પૂ. ભહેરાણા સાહેબ (અમીત ઘનકાણી એન્ડ ગ્રુપ), ૧૦:૩૦ થી રકતદાન કેમ્પ, બાદ કેક કાપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી લંગરપ્રસાદ બાદ સાંજે ૪ વાગ્યે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા જવાહરભાઇ મારા, પ્રકાશભાઇ જૈસાણી, મુલચંદભાઇ જાગનાણી, અમરલાલ પારવાણી, નીરંજનભાઇ જાગનાણી, કુમારભાઇ દેવનાણી, પરેશભાઇ કારીયા, વિનોદભાઇ દુરગીયા, દિનેશભાઇ પારવાણી (પ્રમુખ), હિંમતભાઇ ઉદાણી અને ચંદ્રેશભાઇ પારવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:12 pm IST)