Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

મસ્કતના વણિક વેપારી નિતીનભાઇ મહેતાનું રાજકોટમાં શ્વાસ ઉપડતાં મોત

થોડા દિવસ પહેલા સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રમાં પોતાના ઘરે આવ્યા'તા

રાજકોટ તા. ૧૩: મુળ રાજકોટના અને વર્ષોથી મસ્કત સ્થાયી થયેલા વણિક વેપારી નિતીનભાઇ પ્રવિણચંદ્ર મહેતા (ઉ.૬૭) કેટલાક દિવસથી રાજકોટ સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર-૪માં આવેલા પોતાના ઘરે આવ્યા હોઇ અહિ આજે સવારે શ્વાસ ઉપડતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર નિતીનભાઇ મસ્કતમાં વેપાર કરતાં હતાં. હાલમાં રાજકોટ પોતાના ઘરે આવ્યા હોઇ અહિ સવારે શ્વાસ ચડતાં તબિયત બગડતાં તેમના ભાઇ મુકેશભાઇ પ્રવિણચંદ્ર મહેતાએ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પણ તેમને મૃત જાહેર કરાયા હતાં. ગાંધીગ્રામના એએસઆઇ પુષ્પાબેન પરમાર અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં વિનુભાઇ કોળી અને રમેશભાઇ ભીલનું મોત

અન્ય બનાવમાં રૂખડીયાપરાના વિનુભાઇ શિવાભાઇ કુકાવા (કોળી) (ઉ.૬૦) ઘરે બેભાન થઇ જતાં અને સત્યનારાયણનગર-૩ના રમેશભાઇ સવજીભાઇ મુલીયાણા (ભીલ) (ઉ.૫૮) પણ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજતાં પ્ર.નગર અને  ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

(4:09 pm IST)