Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ખોડલધામના ટ્રસ્ટી પરના હુમલામાં કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટ તા. ૧૩: મકરસંક્રાંતના દિવસે આનંદનગર ચોક નજીક ખોડલધામના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિરાગભાઇ શિયાણીની કાર સાથે પોતાની કાર અથડાવી નામચીન શખ્સ અજય બોરીચા સાથે મળી ચિરાગભાઇ સાથે માથાકુટ કરી માર મારી ધમકી આપવાના ગુનામાં અગાઉ પોલીસમેન રામ વાંક તથા અજય બોરીચા સામે ભકિતનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે નોટીસ બજાવી કાર્યવાહી કરતાં પોલીસમેન સામે ખાતાકીય તપાસ શરૂ થઇ હતી.  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આકરૂ પગલુ લઇ પોલીસમેન રામ વાંકને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. અગાઉ એ-ડિવીઝન, ક્રાઇમ બ્રાંચમાં પ્રશંસનીય કામગીરી કરી ચુકેલા આ પોલીસમેન છેલ્લે માલવીયાનગરમાં ફરજ પર હતાં ત્યારે ખોડલધામના ટ્રસ્ટી પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો. ખાતાકીય તપાસની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

(3:35 pm IST)