Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગંજીવાડાના કારખાનેદાર સુરેશભાઇ મહેતાનો માનસરોવર સોસાયટીના મંદિરમાં ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૧૩: ગંજીવાડા શેરી નં. ૧માં રહેતાં અને અટીકામાં ઘરઘંટી બનાવવાનું કારખાનુ ધરાવતાં સુરેશભાઇ ગોરધનભાઇ મહેતા (ઉ.૪૦) નામના બ્રાહ્મણ યુવાને આજીડેમ ચોકડી પાસે માન સરોવર સોસાયટીમાં શ્રેયશ સ્કૂલ પાસે મહાદેવના મંદિરે ઝેર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકી મારફત એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સુરેશભાઇ ઘરઘંટીનું કારખાનુ ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. ગઇકાલે સુરેશભાઇ શાળાએ પુત્રને મળવા ગયા બાદ મહાદેવના મંદિરે પહોંચી ઝેર પી લીધું હતું. કોઇ મારફત જાણ થતાં તેમને હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસ હવે પછી મૃતકના સ્વજનોના નિવેદન નોંધશે.

(3:33 pm IST)