Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બહુમાળી ભવન નજીક અંગદાનની જાગૃતિ અંગે માહિતગાર કરાશે

મેરેથોનમાં અંગદાન જાગૃતિ મહાિઅભયાન

રાજકોટ, તા. ૧૩ : આગામી ૧૮મીના રવિવારે આયોજીત રાજકોટ મેરેથોનમાં બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ નજીક સવારે ૫થી ૯ સુધી સમસ્ત સોની સમાજ યુવા સમિતિ દ્વારા અંગદાન જાગૃતિ મહાઅભિયાન સમસ્ત સોની સમાજ યુવા સમિતિ દ્વારા કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૧ કરોડથી વધુ અંધજનો તેમજ ૧૦ લાખથી વધુ દર્દીઓ લીવર - કિડની, હૃદયના દર્દીઓ છે ત્યારે આવા લોકોને ઉલ્લાસથી ભરપૂર નવી જીંદગીમાં ફેરવવા, બાળકો, યુવાનો, વડીલોને વ્યકિતગત પીડામાંથી મુકત કરવા મૃત્યુ બાદ અંગદાનમાં જોડાવવા અપીલ કરાઈ છે.સૌ અંગદાન - ચક્ષુદાનનો સંકલ્પ કરીએ, કરાવીએ અને સૌથી વધુ અંગદાન સંકલ્પનો વર્લ્ડ રેકોર્ડ પણ સૌરાષ્ટ્રના નામે થાય એ માટે પ્રયાસ કરીએ. આ અંગે વધુ માહિતી માટે મો. ૭૬૦૦૫ ૦૫૦૫૦, ૯૮૨૪૩ ૨૯૨૪૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)