Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મહાકાળ 'ભવનાથ' સ્વરૂપે ગીરનાર તળેટીમા બીરાજ્યા

...અને તે્ દર્શનાર્થી ભવબંધનમાંથી મુકત થાય છે

સત્ રજ અને તમ્થી જગતની ઉત્પતિ થઇ પુરાણોએ આ ત્રિગુણને દેવાધિદેવની કલ્પનામાં આરાધ્યો છે. સત્ એટલે બ્રહ્મા, રજ એટલે વિષ્ણુ, મને તમ્ એટલે મહેશ

 

એક સમયની કથા છે. ત્રિગુણ દેશોની ઉપસ્થિતિ વાળી દેવસભા મળી હતી. આ સભામાં જગતની ઉત્પતિ અને લય વિશે ચર્ચા ચાલતી હતી.

આ સભામાં જગત ઉત્પત્રિના જન્મદાતા બ્રહ્માજીએ પોતાનું વડપણ સાબીત કરવા પ્રયાસ કર્યો પોતાની ઇચ્છાથી જગત ઉત્પન્ન થાય છે. તેવો દેવોની સભામાં હુંકાર કર્યો.

બ્રહ્માના હુંકારથી સ્મશાનનો ''જોગંદર'' ક્રોધથી ઉકળી ઉઠયો. જગતના જન્મદાતાનું અભિમાન ઓગાળવા માટે તે આંખના પલકારામાં ઉત્પત્તિનો લય કરી નાખવા ઉગ્ર બન્યા.આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વાદવિવાદ વધી પડયો. દેવોની સભામાં સન્નાટો પ્રસરી ગયો વાદવિવાદ વધુ ઉગ્રસ્વરૂપ પકડે અને તેનો અંત જ ન આવે તો જગતનીઉત્પતિ અને લયની પરંપરામાં જીવ બીચારા જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા રહેશે.....!! એમ દેવ સભાના વિચારશીલ દેવોને લાગ્યું આ વિવાદનો અંત આવે, શાંતિ સ્થપાય તે માટે બંને દેવાધિદેવોને શાંત પાડવાની જરૂર હતી. પરંતુ અરંતાધામ, બ્રહ્માજી અને મહાક્રોધી મહાદેવને કોણ સમજાવે ?

બધા દેવોની મુંઝવણ પારખીને નારદજીએ આ બંને દેવોને શાંત કરવાનું બીડુ ઝડપ્યું ! શાંતચિત્તે આ દેવોનો વિવાદ સાંભળી રહેલા ભગવાન વિષ્ણુના સિંહાસન પાસે નારદજી ગયા ભગવાન વિષ્ણુની ચરણરજ લઇ નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી હે ! શાત સ્વરૂપ ! હે લક્ષ્મી પતિ ! દેવસભાના દેવોએ મને આપની પાસે મોકલ્યો છે. ઉત્પતિ અને સર્જન અને સંહારના સ્થાયીઓ એકબીજાની મહાનતા માટેઉગ્ર વાદ વિવાદે ચડયા છે. તેઓ ક્રોક ગ્રસ્ત બને તે પહેલા આપ એમને શાંત કરો...!

હે ! નાથ જો એમાં મોડું થશે, તો ત્રિમૂર્તિએ સર્જેલા જગતના જીવો ભૂચર, જળચર, અને માનવ સમુદાય, અનંત કાળ સુધી દુઃખ અને આપત્તિના મહાદાવાનળમાં ભસ્મિભૂત થતા રહેશેે. હે. ! કલ્યાણકારી દયાસાગર મહાવિનાશમાંથી વિશ્વને ઉગારો. દેવોની પ્રાર્થના સ્વકારો.

નારદજીની પ્રાર્થના સાંભળી ભગવાન મંદ મંદ હસ્યા ! અને પછી સિંહાસનનો ત્યાગ કરી બ્રહ્મા અને મહેશ પાસે પધાર્યા.

ભગવાન વિષ્ણુનંુ આગમન થતાં બંને દેવોનો વાદવિવાદ અટકયો.

ભગવાન વિષ્ણુ પ્રથમ બ્રહ્માજીને શાંત પાડતાં કહેવા લાગ્યા હે ! દેવ ! આવી કેમ ભુલી જાય જાણ્યો છે કે જગતનો જયારે લય થાય છે, ત્યારે આપનો અને મારો પણ લય થાય છે. ! એ સમયે, મૃત્યુંજય એવા મહેશ્વર જ ઉદ્ધિમાં શયન કરતા હોય છે. તેવા આજન્મા મહાદેવ પ્રથમ મારી ઉત્પતિ કરે અને હું તમારી ઉત્પતિ કરૂ છું પછી જ આપ જગતની ઉત્પતિ કરો છો. માટે આપને આ વિવાદ શોભે નહી, જગતની ઉત્પતિ કરવાનું કાર્ય આપને અને તેની સંભાળ રાખવાનું કામ મને મહાદેવે જ સોંપ્યું છે. માટે આ વાદવિવાદ તજી મહેશ્વરને ચરણે જાવ.

ભગવાન વિષ્ણુની ધીરગંભીર વાણી સાંભળી બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઇ તેથી તેઓ તુરંત પીનાકપાલીના ચરણોમાં નમી પડયા મહાક્રોધી છતા એટલાંજ ભોળા હૃદયના ભોળાનાથ શંકરે બ્રહ્માજીને ઉભા કરી હેત પૂર્વક છાતી સરસા ચાંપી ઇચ્છા હોય તે માંગવા કહ્યું.

ત્યારે નમ્રતા પૂર્વક બ્રહ્માજી બોલ્યા હે ! જગતનિયંતા આપની ઇચ્છાથી જ મેં આ સચરાચર જગત ઉત્પન્ન કર્યું છે. તેથી આપ 'ભવનાથ' સ્વરૂપે પ્રગટ થાઓ અને 'તથા ફળુ' કહીને ભગવાન શંકરે વચન આપ્યું બંને મહાદેવો વચ્ચે સુમેળ સધાતા બધા દેવો પ્રસન્ન થતા વીખરાયા. બ્રહ્માજી મેરૂ પર્વત પર તપ કરવા ઉપડયા આપેલા વરદાનનું પાલન કરવા મહાદેવે કૈલાસમાં નહી જતા સીધું પ્રથ્વી તરફ પ્રયાણ કર્યું.

ભગવાન શંકર પૃથ્વીનું પરિભ્રમણ કરતા સૌરાષ્ટ્રની  તિર્થભૂમિમાં પધાર્યા આ દેવભૂમિને જોતા જોતા ભોળાનાથ રેવતાચળ પર્વત નજીક આવ્યા રેવતાચળની અલૌકિક શોભા વનશ્રી શાંત અને પવિત્ર ચરણો ભવસાગર તારવા પૃથ્વી પર પધારેલ દેવાધિદેવને અહીંજ નિવાસ કરવાની ઇચ્છા થઇ અને ત્યાંજ તપ કરવા બેસી ગયા.

ભોળાનાથ જતા તેમની ઉપસ્થિતી વગર કૈલાસ અને સ્વર્ગ સુનકાર બનીગયા જોગીંદરના ઓચિંતા પ્રસ્થાને મહાદેવી અને દેવગણ ચિંતામાં ડુબી ગયા. ભગવાન વિષ્ણુ સહીત સમગ્ર દેવગણ મહેશ્વરની શોધમાં નીકળ્યા.

દેવાધિદેવ મહાદેવને શોધતા શોધતા દેવતાઓ પૃથ્વી લોકના રેવચાચળ પર્વત પાસે આવ્યા આવતા જતા જોગીઓમાં મહાદેવને શોધવા મહાદેવી રેવતાચળ પર બેસી ગયા.

ભોળનાથને પકડી પાડવા માટે ગીરનારના રસ્તા પર દામોદર સ્વરૂપે ભગવાન વિષ્ણુ બીરાજ્યા બ્રહ્માજીએ કુમુદ પર્વત પર આસન જમાવ્યું અને દેવો ગીરનાર ફરતાં ગોઠવાઇ ગયા ભોળાનાથને શોધવા ચારે તરફ બીરાજેલા દેવો પ્રાર્થના કરવા લાગ્યા બધા દેવોએ મહાકાલને કૈલાસ પધારવા વિનંતી કરી, દેવોની વિનંતી સાંભળી ભોળનાથે કહ્યું હે ! દેવો તમે કેમ ભૂલી જાઓ છો કે મે દેવસભામાં બ્રહ્માજીને વરદાન આપ્યું છે તેથી જગત જળચર અને ભૂચરના કલ્યાણ માટે પૃથ્વીમાં 'ભવનાથ' સ્વરૂપે બીરાજીશ.

રેવતાચળ પર્વત એ તિર્થસ્થાનોમાં પવિત્ર છે. તેમાંય મહાદેવી બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને આપ સૌ દેવોએ મારી શોધ માટેજુદા જુદા સ્વરૂપો ધારણ કરીને જે જે સ્થળે વાસ કર્યો છે તે પવિત્ર સ્થળનુ઼ મહાત્મય રહેશે. જે જીવ આ સ્થળના દર્શન કરશે તેને જગતની ઘટમાળમાં ફરી ફેરો નહી થાય, તેવા જીવોનો મારા કૈલાસમાં વાસ થશે. પ્રસન્નચિત્તે ભગવાન ભોળાનાથ બોલી ઉઠયા.

આ પછી ભગવાન મહાકાળ ''ભવનાથ'' સ્વરૂપે ગીરનાર તળેટીમાં બીરાજયા દેવ પણ અંશરૂપે ગીરનારમાં જુદા જુદા સ્થળોએ બીરાજયા ત્યારથી 'ભવનાથ' સ્વરૂપે બીરાજેલા દેવાધિદેવ મહાદેવ અને 'દામોદર' રૂપે બીરાજેલા લક્ષ્મી પતિએ સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર કરી.

મહાશિવરાત્રીના પવિત્ર દિને જે જીવ શ્રદ્ધાપૂર્વક મૃગીકંુડ અને દામોદર કુંડમાં સ્નાન કરી કૈલાસપતિ શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરે છે. તે ભવબંધનમાંથી મૂકત થાય છ.ે

''ભર્વન્યાયીહભુતેષુ, ભય રછેહક મો ભવ'' ભવે ભવે ચમા પાહી, ગૃહણાફર્યે નમો સ્તુતે !!(૬.ર)

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:45 am IST)