Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

૨૦મીએ જનરલ બોર્ડઃ બજેટને હરી ઝંડી

કાર્પેટ એરિયા આધારિત વેરાના દર નક્કિ કરવા, મિલકત વેરામાં વળતર યોજના, શિક્ષણ સમિતિનું બજેટ સહિતની ૧૧ દરખાસ્તો

રાજકોટ તા. ૧૨: શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટિએ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૧૭.૬૯ અબજનું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયે આગામી તા. ૨૦ને મંગળવારના સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડ બોલાવ્યું છે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્તોને બહાલી આપવાનો એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે.

આ અંગે સત્ત્।ાવાર પ્રાપ્ત માહિતી મુજબ મેયરશ્રીએ પ્રસિધ્ધ કરાવેલા એજન્ડામાં (૧) કોર્પોરેશનનું ૨૦૧૭-૧૮નું રિવાઇઝડ બજેટ તથા ૨૦૧૮-૧૯નું નવુ બજેટ મંજુર કરવા (ર)  કાર્પેટ એરિયા આધારીત વેરા પદ્ધતિ હેઠળ વેરાના દર નક્કી કરવા. (૩) સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા  (૪) પાણી દર નિયત કરવા  (પ) ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા,  (૬) થિએટર ટેક્ષ નિયત કરવા.  (૭) વાહન કર નિયત કરવા.  (૮) ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા.  (૯) મિલકત વેરામાં વળતર યોજના. (૧૦) ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા. (૧૧) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સને ર૦૧૮-૧૯નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિત .

 બજેટ મંજૂર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ કરાયો છે.

નોંધનીય છે કે, કાર્પેટ વેરામાં રહેણાંક મિલ્કતો માટે રૂ. ૧૧  અને કોમર્શિયલ મિલ્કતો માટે રૂ. ૨૨નો દર નક્કી થાય તેવી શકયતા છે.

 વિપક્ષ કોંગ્રેસ બજેટ ચર્ચામાં ટિકા - ટિપ્પણી કરવા સજ્જ હોવાનું જાણવા મળ્યું છે.

આમ, આગામી તા. ૨૦મી મળનાર જનરલ બોર્ડમાં માત્રને માત્ર બજેટની જ દરખાસ્તો મંજૂર થશે અને બજેટ માટે જ ચર્ચા થશે, અન્ય પ્રશ્નોત્ત્।રી રાખવામાં નહી આવે.

(9:12 am IST)