Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કાલે માંધાતા પ્રાગટ્ય મહોત્સવઃ ગોંડલમાં શોભાયાત્રા

કોળી સેના અને શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા બે દિવસના કાર્યક્રમો : પૂ. હરિચરણદાસજી બાપુ, પૂ. ઘનશ્યામજી મહારાજ, વાલજી ભગત, ઋષિબાપુ, કોઠારીસ્વામી સહિતના સંતો - મહંતો આર્શીવચન પાઠવશે : માંધાતા દેવ, વેલનાથ, વિરાંગના જલકારી બાઈ વિ. ૧૫થી વધુ ફલોટ આકર્ષણ જમાવશે : કાર્યક્રમની રૂપરેખા : દાંડીયા રાસ : તા.૧૩ને શનિવારે સાંજે ૮:૩૦ કલાકે, શોભાયાત્રા તા.૧૪ને રવિવારે સવારે ૭ કલાકે, જ્ઞાતિ ભોજનઃ બપોરે ૧૨:૩૦ કલાકે, કાર્યક્રમ સ્થળ : શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઈન રોડ, ગોંડલ રાજયમંત્રી પરસોતમભાઈ સોલંકી, ભુપતભાઈ ડાભી સહિતના આગેવાનો ખાસ હાજરી આપશે : સતત ૧૨માં વર્ષે ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૧૩ : મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ હોઈ કોળી સેના તથા શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાતના સંયુકત ઉપક્રમે શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કોળી સેનાના સ્થાપક અને ગુજરાત રાજયમંત્રી પરસોતમભાઈ સોલંકી તથા કોળી સમાજના અગ્રણી અને કોળી વિકાસ નિગમના વાઈસ ચેરમેન તથા શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભીના માર્ગદર્શન નીચે ભવ્ય રીતે ઉજવાશે.

આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કાલે તા.૧૪ રવિવારે વિવિધ ધાર્મિક આયોજનો તેમજ શોભાયાત્રા અને એકસાથે પાત્રીસ હજાર જ્ઞાતિજનોનો ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શ્રી હરિચરણદાસજી મહારાજ, ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજશ્રી, કાળાસર ઠાકરની જગ્યાના મહંત શ્રી વાલજી ભગત, દેવકુબા આશ્રમ - અરડોઈના આચાર્ય સંત શ્રી ઋષિબાપુ, અક્ષરમંદિર ગોંડલના કોઠારી સ્વામી, દિવ્ય પુરૂષ સ્વામી ઉપસ્થિત રહી બધાને આર્શીવચન આપશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.

તેમજ ગુજરાત રાજય કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, ધારાસભ્ય ગીતાબા જે. જાડેજા, માર્કેટ યાર્ડના ચેરમેન જેન્તીભાઈ ઢોલ, ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોટર વર્કસ ચેરમેન ચંદુભાઈ ડાભી આગેવાનો તેમજ સંતો - મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમની પૂર્વ સંધ્યા એટલે કે આજે શનિવારે દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧૪ને શનિવારના રોજ સવારે ૭ કલાકે શ્રી માંધાતા સર્કલનું ભૂમિ પૂજન તેમજ શ્રી માંધાતા દેવની એક શોભાયાત્રા શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઈન રોડ, ગોંડલ ખાતેથી પ્રારંભ થઈને ઘોઘાવદર ચોક, પટેલવાડી, સેન્ટ્રલ ટોકીઝ, માંડવી ચોક, મોટી બજાર, પાંજરાપોળ, ફુલવાડી, માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહૂતિ થશે.

પૂર્ણાહૂતિ બાદ ૩૫ હજારથી વધુ જ્ઞાતિજનો અને આમંત્રિતો માટે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

છેલ્લા ૧૧ વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન શ્રી ભુપતભાઈ ડાભી અને પૂર્વ નગરપતિ ચંદુભાઈ ડાભી, મુકેશભાઈ મકવાણા, ગુજરાત રાજય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે ઉજવાતા આ પ્રાગ્ટય મહોત્સવમાં આ વર્ષે યોજનારી આ શોભાયાત્રામાં ૧ હજાર જેટલા બાઈક, ૩૦૦ જેટલી મોટરકાર અને શ્રી માંધાતા દેવ, વેલનાથ, વિરાંગના જલકારી, બાઈ, વીર તાનાજીના જીવન ચરિત્રને રજૂ કરતા ૧૫ જેટલા સુશોભિત રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે. આ શોભાયાત્રામાં રાજયભરમાંથી તેમજ ભારતભરમાંથી ૩૫ હજાર જેટલા કોળી સદસ્યો ઉપસ્થિત રહેનાર છે.

આયોજનને સફળ બનાવવા શ્રી માંધાતા ઉત્સવ સમિતિના પ્રમુખ હિરેન ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, નાગરાજ જાદવ, દિપક શિયાળ, પરેશ મકવાણા, મુકેશ મકવાણા તેમજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના અનેક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ અવસરે શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાતના સદસ્ય બનવા માટે નિઃશુલ્ક નંબર ૧૮૦૦ ૩૦૦૨ ૩૧૫૧ ઉપર ડાયલ કરવાથી સદસ્ય બની શકશો તેમજ મોબાઈલ અપ્ેલીકેશન તેમજ વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવશે.

તસ્વીરમાં કોળી સમાજના આગેવાનો સર્વેશ્રી હિરેનભાઈ ડાભી, મહેશભાઈ ગોહેલ, ભરતભાઈ મકવાણા, સોમભાઈ સદાદીયા, મુકેશભાઈ મકવાણા, રમેશભાઈ મકવાણા, કિશોરભાઈ મકવાણા, હરેશભાઈ સદાદીયા, વિપુલભાઈ જાદવ, વિજયભાઈ ગોહેલ, માવજીભાઈ ઓળકીયા, રઘુભાઈ મેટારીયા, કિશોરભાઈ જમોડ, પરેશભાઈ મકવાણા અને પુનાભાઈ સાકરીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:53 am IST)