Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દિકરીઓએ માતાને કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા : વાટલિયા પ્રજાપતિ સમાજનો પ્રેરક કિસ્સો

રાજકોટ : વાટલીયા પ્રજાપતિ સમાજની દિકરીઓએ માતાની અંતિમવિધ કરી દિકરી દિકરા સમાન હોવાનું ચરીતાર્થ કરી બતાવ્યુ છે. મણીબેન ચનાભાઇ આંબલીયાનું ૮૬ વર્ષની વયે અવસાન થયુ હતુ. તેમને સંતાનમાં માત્ર પ દિકરીઓ હતી. તેમની પોતાની એવી ઇચ્છા હતી કે દિકરીઓ જ અગ્નિ સંસ્કાર કરે. મણીબેનનું અવસાન થતા પાંચેય દિકરીઓએ કાંધ આપી સ્મશાન સુધી જઇ અગ્નિદાહ આપી અંતિમવિધિ પૂર્ણ કરી સમાજને નવો રાહ બતાવ્યો હતો. (પ્રેષક : રણછોડભાઇ વોરા, મો.૯૫૮૬૯ ૭૬૦૩૩)

 

(11:27 am IST)