Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જસદણમાં કોંગ્રેસની જીત નિヘતિઃ અતુલ રાજાણી

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નં.૩ના કોર્પોરેટર દંડક શ્રી અતુલ રાજાણીની યાદી મુજબ ૫ રાજયોમાં પરાજયથી મોદીની લ્‍હેર ખતમ થતાં અને રાહુલની આંધી શરૂ થતા જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા હચમચ્‍યા છે અને કોંગ્રેસની જસદણમાં જીત નિતિ બની છે. મતદાતાઓ પાટલી બદલું ઉમેદવારને જાકારો આપે છે તે ગુજરાતની જનતાની તાસીર છે વિધાનસભાની ચુંટણીમાં ભાજપ એક પણ રાજયમાં બહુમતી ન મળતા અને રાજસ્‍થાનમાં એક ડઝનથી વધુ પ્રધાનોને ઘરભેગા કરતા સનાટો છવાઇ ગયો છે તેવો આક્ષેપ અતુલ રાજાણીએ કર્યો છે.

(4:28 pm IST)