Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આ.ભ.પૂ.યશોવિજયજી મ.સા.એ નવ દિક્ષીત મહાસતીજીઓને આર્શીવાદ- દર્શન આપ્યા

રાજકોટઃ રોયલ પાર્ક ઉપાશ્રય ખાતે મૂર્તિપુજક જૈન સમાજના આચાર્ય ભગવંત પુજય યશોવિજયજી મહારાજ રાષ્ટ્રસંત પુજય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં દિક્ષા અંગીકાર કરનાર પુજય પરમ સ્વમિત્રાજી તેમજ પુજય પરમ આરાધ્યાજી મહાસતીજીઓને આશીર્વાદ સાથે દર્શન આપવા પધારેલ. સમતા, સહનશીલતા ના દર્શન સાથે મેરૂ પર્વત જેમ અડગ રહી જૈન શાશન ની શાન વધારી જૈન ધર્મનો જય જયકાર કરવા બદલ ખુબ બીરદાવી અનુમોદના સાથે આશીર્વાદ પાઠવેલ અને ભાવવિભોર થઇ આચાર્ય ભગવંતે ફરમાવેલ કે નુતન દિક્ષીત આત્માઓ આપની ખમીરી અને ખુમારી, શાશન પ્રત્યે ની નિષ્ઠા અમારા માં પણ આવે તેવી શાશન દેવ ને પ્રાર્થના. આ પ્રસંગે જાગનાથ સંઘ ના પ્રમુખ દિનેશ પારેખ, જૈન અગ્રણી મયુર શાહ તેમજ અલ્પેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(4:09 pm IST)