Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સૂરશ્રી ગ્રુપ દ્વારા ઇવનિંગ પોસ્ટમાં કાલે હસાયરોઃ રવિવારે સંગીત સંધ્યા

રાજકોટ તા. ૧રઃ સૂરશ્રી ગ્રુપના જયંતીભાઇ પટેલ જણાવે છે કે સંસ્થાના માર્ગદર્શક કેળવણીકાર પ્રિયદર્શીની હાઇસ્કુલના ભૂતપૂર્વ આચાર્ય સરલાબેન ત્રિવેદીની સ્મૃતિમાં તેમના જન્મદિને આવતીકાલે તા. ૧૩ શનિવારે સાંજે પ-૩૦ થી ૯ ઇવનિંગ પોસ્ટ, સિનિયર સીટીઝન પાર્ક, જિલ્લા બેંકની બાજુમાં, ચૌધરી હાઇસ્કુલ સામે, સહાયરો યોજાનાર છે. જેમાં જાણીના કલાકારો ગુલાબદાન બારોટ અને કનુભાઇ ગઢવી કલા પીરસશે. બીજા દિવસે રવિવારે તે જ સ્થળે અને તે જ સમયે સંગીત સંધ્યા યોજાનાર છે. બન્ને કાર્યક્રમમાં રસ ધરાવનાર સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. વધુ માહિતી માટે મો. ૯૮ર૪ર ૯ર૩૦૩ ઉપર સંપર્ક કરવો.

(3:10 pm IST)