Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભોમેશ્વરમાં પલંગ પરથી પડી જતાં ઓરિસ્સાના શંકરભાઇનું મોત

રૂખડીયાપરામાં રાજેન્દ્રભાઇનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૨: ભોમેશ્વર ભૂતનાથ ટેકરી પાસે રહેતાં મુળ ઓરિસ્સાના શંકરભાઇ બુદુભાઇ સોની (ઉ.વ.૫૨) સાંજે પલંગ પરથી પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતે કડીયા કામની મજૂરી કરતાં હતાં. ગાંધીગ્રામના  હેડકોન્સ. હંસરાજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રૂખડીયાપરા ફાટક પાસે રહેતાં મુળ તમિલનાડુના રાજેન્દ્રભાઇ ચુનિલાલ આદિદ્રવીડ (ઉ.વ.૫૨) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પગીપણુ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને નશો કરવાની આદત હોઇ કેટલાક સમયથી બિમાર હોવાનું પરિવારજને કહ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ઉત્તરપ્રદેશના જગપ્રસાદનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં મુળ બલરામપુર યુપીનો અને હાલ કોઠારીયા રોડ ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મામા સાહબેના મંદિર પાસે રહી છુટક મજૂરી કરતો જગપ્રસાદ બેચન કુલદિપ (ઉ.૩૪) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:04 pm IST)