Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અકિલાના આંગણે ૨૨૨મી જલારામ જયંતિની ઉજવણી

ગઇકાલે તા.૧૧ના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખુબ જ ભાવપૂર્વક પૂ. જલારામ બાપાની ૨૨૨મી જયંતિની ઉજવણી કરવામાં આવી. અકિલા પરીવારના આંગણે પણ બહેનો મીનાબેન હરીશભાઇ ચગ,  ભારતીબેન લલીતભાઇ સવજીયાણી, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્મીતાબેન સુનીલભાઇ રાયચુરા અને સમગ્ર પરિવાર દ્વારા ખુબ આનંદ ઉલ્લાસથી પુજય જલારામ બાપાની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી. સ્મિતાબેને ખુબ જ ભાવપુર્વક શણગાર કરાવ્યો હતો.

 આ પ્રસંગે વિણાબેન અજીતભાઇ ગણાત્રા, ઇન્દુબેન જે. ઠકકર, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ડો. જયોતિબેન નલીનભાઇ સોઢા, નીનાબેન હિતેશભાઇ ચગ, હર્ષાબેન પરેશભાઇ ચગ, દ્રષ્ટીબેન અમિતભાઇ સવજીયાણી, સુનિલભાઇ, કિરીટભાઇ, અજીતભાઇ, રાજુભાઇ, નિમિષભાઇએ હોંશે હોંશે ઉજવણીમાં ભાગ લીધો હતો. (તસ્વીરઃ ડો. મીરાલી હેનીથ ચતવાણી)

(3:02 pm IST)