Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

નરશીનગરમાં 'ઘર પાસે કુતરા કેમ આવવા દે છે' કહી કુલદીપ પરમારને દિપકે છરી ઝીંકી દીધી

દિપક મકવાણા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૨: માર્કેટીંગ યાર્ડ પાસે આર.ટીઓ ઓફીસની પાછળ નરશીનગરમાં 'ઘર પાસે કુતરા કેમ આવવા દે છે' કહી યુવાનને પાડોશીએ ઝાપટો મારી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ ઓફીસ પાછળ નરશીનગર શેરી નં.૭માં રહેતા કુલદીપભાઇ વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ.૨૪) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે પોતે પાળેલા બે કુતરા પાડોશી દિપક ગીરીશભાઇ મકવાણાએ આવી કુલદીપભાઇના ભાઇને ગાળો આપી બે ઝાપટ મારી 'મારા ઘર પાસે કુતરા કેમ આવવા દે છે કહી ઝઘડો કરી છરી કાઢી તેને મારવા જતા કુલદીપભાઇ વચ્ચે પડતા તેને ડાબા હાથના કાંડાના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કુલદીપભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા બીડીવીઝન પોલીસે કુલદીપભાઇ પરમારની ફરિયાદ દાખલ કરી દિપક ગીરીશભાઇ મકવાણા (રહે.નરશીનગર-૭)ને સકંજામાં લઇ પીએસઆઇ એન.જે.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)