Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પાળપીપળીયામાં ખોવાયેલ ગાય બાબતે પૂછતા યોગેન્‍દ્રસિંહ જાડેજા પર હુમલો

આનંદ રેસીડેન્‍સીના અશ્વિન સહિત ચાર સામે ગુનો

રાજકોટ, તા.૧ર : લોધીકાના પાળ પીપળીયા ગામમાં ગાયને શોધવા માટે ગયેલા ગરાસીયા પ્રૌઢને ચાર શખ્‍સોએ પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ પાળ પીપળીયા ગામમાં રહેતા યોગેન્‍દ્રસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ.પ૦) ગઇકાલે પોતાની ગાયને શોધવા માટે આનંદ રેસીડેન્‍સીમાં ગયા હતાં ત્‍યાં રહેતા અશ્વિન કાળુભાઇને પોતાની ગાય બાબતે પૂછતા અશ્વિન તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ગાળો આપતા પ્રૌઢે ગાળો આપવાની ના પાડતા ચારેય શખ્‍સોએ ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથા તથા હાથના ભાગે ઇજા કરી હતી અને એક શખ્‍સ તેને પાછળ છરી લઇને મારવા દોડયો હતો અને ચારેય શખ્‍સોએ તેના બાઇકમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. બાદ પ્રૌઢને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે લોધીકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એમ. ધાંધલે તપાસ હાથ ધરી છે.

(12:35 pm IST)