Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ઈએનટી સર્જન ડો.સંજીવ ભદવાર રવિવારે રાજકોટમાં

ડો.હિમાંશુ ઠકકરની હોસ્પિટલમાં સેવા આપશેઃ દર્દીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની ડો. ઠકકરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલના ઈ એનટી સર્જન ડો. હિમાંશુ ઠકકરની યાદી જણાવે છે કે મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ઈએનટી સર્જન ડો. સંજીવ ભદવાર ઠકકર હોસ્પિટલ ૨૦૨ લાઇફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ ખાતે તા ૧૭ ઓકટોબર રવિવારે સવારે ૧૧ થી ૩  વાગ્યા સુધી  મુંબઇની ખુબજ પ્રખ્યાત કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ઈએન્ટી સર્જન ડો.સંજીવ    ભદવાર સેવા આપશે.  જેમાં કાન -નાક -ગળાના જટિલ રોગો જેવાકે ઘોઘરો અવાજ, થાઇરોઇડ ગ્રંથી, પેરોટીડ ગ્રંથી,મો તથા ગળાના કેન્સર, જન્મથી બહેરાશવાળા બાળકો માટે કોકિલયર ઈમ્પ્લાન્ટ. શ્વાસ નળી અને અન્નનળીના  જટિલ ઓપરેશન, નસકોરાની સમસ્યા માટે ની સર્જરી. નાકના બાહ્ય દેખાવ માટેની રાહીનોપ્લાસ્ટી ઓપરેશન. બહેરાશ નિવારણ માટે ઓપરેશન. મો ગળાના કેન્સરનું નિદાન અને રોબોટિક સર્જરી વિશે માર્ગદર્શન. નાક વાટે મગજની ષ્ટજ્ઞ્દ્દ્યર્દ્દીશ્વક્ક ગ્રંથીનું ઓપરેશન   વિશે માર્ગદર્શન.નાકના મસા અને સાઇનસનું તથા એલર્જીનું નિદાન. ઉપરોકત સમસ્યાનું નિદાન અને માર્ગદર્શન. નામ નોંધણી માટે ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો. ૭૯૯૦૧ ૫૩૭૯૩. ઠકકર હોસ્પિટલ, ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ.

(11:38 am IST)