Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

દ્વારકેશ ગ્રુપ દ્વારા કાલે શરદોત્સવ

વ્રજ ભુમી ખાતે આયોજન : વિવિધ હવેલીના ગોસ્વામી બાલકોની પધરામણી થશે

રાજકોટ તા. ૧૨ : દ્વારકેશ ગ્રુપ દ્વારા પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પરષોતમલાલજી મહારાજશ્રી રસકુંજ હવેલીવાળાના અધ્યક્ષસ્થાને કાલે તા. ૧૩ ના રવિવારે શરદોત્સવ મહારાસનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગે વિગતો વર્ણવતા જણાવેલ કે છેલ્લા ૧૪ વર્ષથી નવવિલાસના સફળ આયોજન બાદ આ કાર્યક્રમ યોજેલ છે.

'વ્રજભુમી' ૧૫૦ ફુટ રીંગ રોડ, પાઠક સ્કુલવાળી શેરી, બાલાજી હોલ પાસે કાલે ૮.૩૦ થી ૧૨ સુધી આયોજી આ કાર્યક્રમના ગાયકવૃંદમાં કમલેશ બાંગાવાલા, ભાવેશ વાવડી, નરેશ નારીયા, અમીત સંઘાણી, વિજય વિરાણી, સંજય સ઼ઘાણી વગેરે ભાગ લેશે.

શરદોત્સવમાં વિવિધ હવેલીમાં બિરાજતા પૂ. ગોસ્વામી બાળકો પધારશે. સર્વે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વ્રજ ડેવલોપર્સવાળા મનસુખભાઇ સાવલીયા, ગોપાલ નમકીનવાળા ્રફુલભાઇ દુદવાણી, કુમનભાઇ વરસાણી, ધનસુખભાઇ વેકરીયા, હરીભાઇ બાલધા, ભરતભાઇ સંચાણીયા, પ્રફુલભાઇ સંઘાણી, વિરજીભાઇ પરસાણા, માધવભાઇ ફીચડીયા, ચીરાગભાઇ રાજપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દ્વારકેશ ગ્રુપના આગેવાનો નજરે પડે છે.

(3:39 pm IST)