Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પૂનમ નિમિતે

શનિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

આયોજન સંચાલન સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ) સ્વામી સત્યપ્રકાશઃ નામ નોંધાણી આજથી શરૂ

 રાજકોટઃ છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આગામી તા.૧૪ને શનિવારના રોજ પુનમ નિમિતે રાબેતા મુજબ સ્વીઝરલેન્ડ ના સ્વામી  પ્રેમમૂર્તિએ શિબિરનું આયોજન કરેલ છે. અને શિબિરનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરવાના છે.  બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન ચાલનારી શિબિરમાં ઓશો વિવિધ ધ્યાન પ્રયોગ, ઓશો વિડીયો દર્શન, સંધ્યા, સત્સંગ, સન્યાસ ઉત્સવ તથા પ્રસાદનો કાર્યક્રમ યોજાશે.

વિશેષ માહિતી માટે તેમજ વધુ વિગતો માટે સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટક ૯૪૨૬૯  ૯૬૮૪૩, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:18 pm IST)