Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

'' હું મારી જાતે પગલુ ભરૂ છું '' ચીઠ્ઠી લખી રાજકોટના અજયભાઇ રાઠોડનો ન્યારી ચેક પોસ્ટ પાસે આપઘાત

દર્શન સોસાયટીમાં રહેતા અજયભાઇએ કારમાં ઝેરી દવા પી લીધી

રાજકોટ તા ૧૨  : ન્યારી ચેક પોસ્ટ નજીક '' હું મારી જાતે પગલું ભરૂ છું મને માફ કરજો'' ચીઠ્ઠી લખી વણકર યુવાને કારમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી ઝયાપી ગઇ છે.

મળતી વિગતમુજબ શહેરના ન્યારી  ચેક પોસ્ટ પાસે એક જીને-૩કેપી ૬૦૨ નંબરની વર્નાકારમાં એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ રાજુભાઇ કોડીયાતર, તથા ખોડુભા સહિત સ્થળ પર દોડી ગયા હતા, બાદ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી નયનભાઇ પટેલ તથા પાયલોટ વનરાજભાઇએ તપાસ કરતા યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હોવાનું જાહેર કર્યુ હતું. બાદ પોલીસે કારની તલાશી લેતા રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે પાણીના ટાંકા પાછળ દર્શન સોસાયટીમાં રહેતા અજયભાઇ રૂપાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) હોવાનું ખુલ્યું હતું. બાદ કારમાંથી અજયભાઇએ લખેલી સ્યુસાઇટ નોટ મળી આવી હતી તેમાં તેણે લખ્યું હતું કે '' હું મારી જાતે પગલું ભરૂ છું'' આમા ંકોઇનો વાંક નથી, મને માફ કરજો'' લખ્યું હતું મૃતક અજયભાઇને સંતાનમાં એક પુત્ર છે તે ડા્રઇવરનું કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)