Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રણુજા મંદિર પાસેની ભુવનેશ્વર સોસાયટીના વાટલીયા કુંભાર યુવાનનું ઝેરી અસરથી મોત

યોગેશ ગોંડલીયા ગયા શુક્રવારથી સારવારમાં હતોઃ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કનૈયા ચોક ભુવનેશ્વર સોસાયટીમાં રહેતાં વાટલીયા કુંભાર યુવાન યોગેશભાઇ કાનજીભાઇ ગોંડલીયા (ઉ.૩૨)ને ગયા શુક્રવારે ઘરે ઉલ્ટીઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબિબની પ્રાથમિક પુછતાછમાં છાતીમાં દુઃખતું હોવાનું કહેવાયું હતું. જો કે રિપોર્ટ થતાં ઝેરની અસર જણાતાં પોલીસ કેસ જાહેર કરાયો હતો. સારવાર દરમિયાન ગત સાંજે આ યુવાને દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.  મૃત્યુ પામનાર યોગેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. સંતાનમાં સવા  વર્ષની દિકરી છે. યોગેશભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના પત્નિનું નામ મીનાબેન છે. યોગેશભાઇ ગયા શુક્રવારે ઘરે આવ્યા ત્યારે છાતીમાં બળતું હોવાનું અને દુઃખાવો થઇ રહ્યાનું કહ્યું હતું. એ પછી ઉલ્ટીઓ કરવા માંડતા સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ઝેરી અસર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જો કે પરિવારજનોએ યોગેશભાઇએ ઝેર પીધું કે કેમ? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(3:37 pm IST)