Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આ વર્ષે તાજીયા વેળા સદર વિસ્તારમાંકોઇપણ દાવપેચ રમાયા નહીં : જાહેર આભાર માનતી સદર તાજીયા કમિટી

રાજકોટ તા ૧૨  : સદર વિસ્તારના તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ઉપપ્રુમ હાજી હુસેનભાઇ માંડરીયા તથા મહામંત્રી એઝાઝબાપુ બુખારીની એક યાદીમાં જણાવાયું છે કે, તાજીયાનો તહેવાર એ તમામ હિન્દુ-મુસ્લીમ જનતાનોશ્રધ્ધાનો તહેવાર વર્ષોથી રાજકોટમાં ઉજવાય છે. જેમાં ન્યાઝે હુસેન સબિલમાં દુધ કોલ્ડ્રીંક, સરબત, ન્યાઝરૂપે ખાસ હિન્દુ-મુસ્લીમ સાથે જમી શકે એ રીતનું આયોજન દરે ન્યાઝે હુસેન સબીલ કમીટીએ કરેલ હતું. જેમાં ડ્રાયફ્રુટ, ભેળ, પાંઉભાજી, બટેટાની ચીપ્સ, ભજીયા, ગાંઠીયા, રગડો, આઇસ્ક્રીમના કોન,ગુલ્ફી, મીઠાઇ, લાડવા, પેંડા, ખીર, સ્ટીમ ઢોકળા, દાબેલી બ્રેડ, વડાપાંઉ, નાનખટાઇ, કેક, ચાઇનીઝ ભેળ, સાદો પુલાવ, ચોકલેટ, બીસ્કીટ,વેફર વગેરે લોકોને ન્યાઝરૂપે રાજકોટની હિન્દુ-મુસ્લીમ ધર્મપ્રેમી જનતાન ેવહેચાયેલ હતું.

આ વર્ષે તાજીયા દરમ્યાન ધમાલ/અખાડો જેમાં ચકકુદાવ, તલવાર દાવપેચ, સળગતા દાવપેચ, મોઢામાં સળીયા નાંખવા, શરીર પર ટયુબલાઇટ ફોડવી જેવા સાહસીક દાવપેચો આ વર્ષે ન રમી તેમજ કોઇ જ પ્રકારના હથીયાર ન રાખી સદર વિસ્તારના તાજીયાઅ એખલાસ ભરી શાંતિનો પૈગામ આપેલ છે.

પોલીસતંત્ર દ્વારા બે-દિવસ સેવાઓ બજાવી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નાયબ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહજી જાડોજા, એસ.સી.પી. શ્રી દિયોર, એસ.સી.પી.શ્રી એડમ્સ, પ્રનગરના પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.એસ.આઇ. એમ.એમ.ગોસાઇ, એસ.એમ. જાડેજા, ગાંધીગ્રામ પો.સ્ટેશનના પી.આઇ. વિજયભાઇ ઓડેદરા, પી.આઇ. યુ.જે. વાળા સાહેબ, પી.એસ.આઇ. કનકસિંહ પરમાર, મહિલા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા મેડમ, ટ્રાફીક પોલીસ બી.એક. જાડેજા, હોમગાર્ડના જવાનો વિગેરે દ્વારા તથા કોર્પોરેશનના કમિશ્નર ઉદીત અગ્રવાલ, બાગ-બગીચા વિભાગ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કે.ડી. હાપલીયા, લક્ષ્મણભાળઇ ચોૈહાણ, કાંતિભાઇ સવજીભાઇ, જાહીદભાઇ, રમેશભાઇ ત્રિવેદી, ફાયર બ્રિગેડના ભીખાભાઇ ઠેબા, વિગેરે તેમજ પી.જી.વી.સી.એલ (જી.ઇ.બી.) દ્વારા તાજીયાના રૂટમાં  વાયર તેમજ કેબલ માટે સતત તાજીયાની સાથે રહેલ. જામટાવરના ડેપ્યુટી એન્જીનીયર એન.આર. કંડોલીયા, પી.આર.ઓ. અતુલભાઇ વ્યાસ, કે.આર. આંબલીયા, ડી.આર. પરમાર, વી.એન. સોનાગરા, જુનીયર ઇજનેર દિનેશભાઇ ભરવાડ, જી.એન. સોલંકી નો સહકાર મળેલ તે બદલ સમગ્ર તંત્રનો જાહેર આભાર માનવામાં આવે છે.

રાજકોટની ધર્મપ્રેમી જનતાએ શ્રધ્ધા અને સંયમથી એખલાસ ભરી શાંતિ અને ભાઇચારા સાથે હિન્દુ-મુસ્લિમના બન્ને તહેવારોની ઉજવણી કરી હતી. તેમ મહેબુબભાઇ બેલીમ, રઝાકભાઇ કારીયાણીયા તથા સદર વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ આભાર માનેલ છે.

(3:36 pm IST)