Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગણપતિ વિસર્જન પહેલા કુબલીયાપરામાં થોરાળા અને ભકિતનગર પોલીસની દારૂની ડ્રાઇવઃ ૧૯૬૦ લિટર આથાનો નાશ કરાયો

રાજકોટઃ આજે ગણપતિ વિસર્જન થઇ રહ્યું હોઇ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧, એસીપી પૂર્વની સુચનાથી થોરાળા વિસ્તારના કુબલીયાપરામાં દારૂની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં થોરાળા પી.આઇ. બી.ટી. વાઢીયા, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ બી. જે. જાડેજા સહિતની ટીમોએ ૩૦ કર્મચારીઓને સાથે રાખી દરોડા પાડતાં નાશભાગ મચી ગઇ હતી. વોંકળા કાઠેથી પોલીસે પતરાના ડબ્બામાં ભરી ગટરમાં રાખેલો દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો. આવો ૧૯૬૦ લિટર આથાનો નાશ કરાયો હતો. તેમજ રક્ષા સુનિલ સોલંકીને ત્રણ લિટર દારૂ સાથે પકડી લેવામાં આવી હતી. તેની પાસેથી ૯૬૦ લિટર આથો પણ મળ્યો હતો. આથો અને ડબ્બા-બેરલનો નાશ કરાયો હતો.

(3:36 pm IST)