Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બાબરીયા કોલોની વિસ્તારમાં છેલ્લા ૪ માસથી ગંદા પાણીની રેલમછેલ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૭ માં આવેલ બાબરીયા કોલોની, મોરારીનગર, ન્યુ રઘુવીર સોસા., તથા ખોડીયારનગર વિસ્તારમાં છેલ્લા ચાર માસથી ભુર્ગભ ગટર ઉભરાવાના કારણે રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલ થઇ રહ્યાની ફરીયાદ લતાવાસીઓમાં ઉઠવા પામી છે. આ અંગે વિસ્તારવાસીઓનાં જણાવ્યા પ્રમાણે આ પ્રશ્ન તાકીદે ઉકેલવા મ્યુ. કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો હલ થયો નથી. હાલ ચોમાસાની ઋતુમાં મચ્છર ઉપદ્રવના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે. આ સમસ્યા અંગે તાકીદે યોગ્ય કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(3:33 pm IST)