Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હાથીખાનામાં જર્જરિત મકાન ધરાશાયી

કોઇ જાનહાની નહિઃ મ્યુ.કોર્પોરેશન તંત્ર દ્વાર કાટમાળ હટાવાયો

રાજકોટ ,તા.૧૦: વર્તમાન ચોમાસામાં શહેરમાં સમયાંતરે વરસતા રહેલા ભારેથી અતિ ભારે વરસાદને પગલે હાથીખાના  વિસ્તારમાં  મકાન ધરાશય થતા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર આવશ્યક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં.૧૪માં હાથીખાના વિસ્તારમાં સ્થિત એક ૪૦ થી ૫૦ વર્ષ જુનુ ભયગ્રસ્ત મકાન વરસાદને કારણે જમીન દોસ્ત થયુ હતુ. આ ઘટનાની જાણ મ્યુ.કોર્પોરેશનનાં સંબધીત વિભાગનાં આધિકારીઓને જાણ થતા તેઓ તાકીદે સ્થળ પહોંચી મકાનનો કાટમાળ દુર કરવાની કાર્યવાહી કરવામાં અવી હતી. તંત્રનાં જણાવ્યા પ્રમાણે કોઇ જાનહાની થવા પામી ન હતી.

(3:23 pm IST)