Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જીવંતિકાનગરમાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશમહોત્સવ વિસર્જન

રાજકોટ : શહેરના ગાંધીગ્રામમાં આવેલ જીવંતિકાનગર - ૧ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દરરોજ સવારે અને રાત્રે આરતી, સાંસ્કૃતિક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ૧૦ દિ' દરમિયાન હજારો ધર્મ પ્રેમી ભાઈઓ - બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. ગજાનંદ કા રાજાના આયોજનને સફળ બનાવનાર હરેશભાઈ સોની, ભરતભાઈ ગઢવી, શૈલેષભાઈ ઝાલા, વિશાલભાઈ ઝાલા, સત્યમભાઈ જોષી, મનીષભાઈ પરમાર, પીન્ટુભાઈ પરમાર, કપિલભાઈ માંડલીયા, હાર્દિક સોની, મેહુલ લાડવા, ધવલ લાડવા, મયુરભાઈ દેવડીયા, અર્જુન ચૌહાણ, પારસ શીંગાળીયા, પ્રિયેષ શીંગાળીયા સહિતના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી.

(1:07 pm IST)