Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સાંજથી નર્મદાના નીર મળવાનું ફરી શરૂ થશે...

આજે ૮ વોર્ડના લાખો લોકો તરસ્યા રહ્યા

એન.સી ૩૨,૩૩,૩૪ લાઇનની જીડબલ્યુઆઇ મારફત કામગીરી હાથ ધરાતા કાલ સવારથી પાણી બંધ રહ્યુઃ આજે વોર્ડ નં.૨,૩,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩નાં લાખો લોકો તરસ્યા રહ્યાઃ કાલે ૩૫ એમ.એલ.ડીની ઘટની શકયતા

રાજકોટ તા.૧૨: રાજકોટ મહાનગરના આજી-૧ડેમમાં ધીમી ગતિએ નર્મદાનીર ઠલવાઇ રહયા છે ત્યારે મેઇનટેનન્સના કામથી અગાઉ કરાયેલી જાહેરાત મુજબ સવારે ગઇકાલે એકાએક શહેરને રાબેતા મુજબ મળતા નર્મદાનીર પણ બંધ થઇ ગયા હતા. કોર્પોરેશનના વોટર વર્કસ સુત્રોના જણાવ્યા મુજબ આજ સાંજથી રાજકોટને નર્મદા નીર મળવાના શરૂ થશે. કાલે સામાકાંઠે અને સેન્ટ્રલ ઝોનમાં પાણીના ધાંધીયા થવાની ભીતી સર્જાઇ છે.આજે ન્યુ રાજકોટના વોર્ડ નં. ૨,૩,૮,૯,૧૦,૧૧,૧૩ ના વિસ્તારમાં પાણ વિતરણ ન થઇ શકતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા યોજના હેઠળની એન.સી. ૩૨, ૩૩, ૩૪ પાઇપલાઇનના પમ્પીંગ સ્ટેશનોમાં મેઇન્ટેન્શની કામગીરી પાણી - પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના કારણે કાલ સવારથી રાજકોટને નર્મદા નીર આપવાનું બંધ કરાયું છે.

આમ, રાજકોટ કોર્પોરેશનના રૈયાધાર, બેડી અને કોઠારીયા હેડવર્કસમાં દરરોજ ૨૦૯ એમ.એલ.ડી. નર્મદા નીર મળતુ હતું તે અચાનક બંધ થતાં વોટરવર્કસ વિભાગને આજી, ન્યારી અને ભાદર જળાશયમાંથી પાણી ઉપાડી શહેરનું પાણી વિતરણ જાળવવું પડયું હતું.

જો કે, ચંદ્રેશનગર પાણીના ટાંકા હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ના અનેક વિસ્તારોમાં કાલે નર્મદા નીર બંધ હોવાને કારણે ઓચિંતો પાણીકાપ આપી પાણી વિતરણ બંધ રખાયું હતું. કેમકે આ વિસ્તારોમાં ૯ એમ.એલ.ડી. જેટલું પાણી જોઇએ છે જે બચાવી અન્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ.

દરમિયાન વોટર વર્કસના ઇજનેરી સૂત્રોએ એવી પણ દહેશત વર્તાવી છે કે. આથી આ સંજોગોમાં આવતીકાલે ઇસ્ટઝોન-સેન્ટ્રલ ઝોનના આજ સાંજના રાજકોટને નર્મદાનીર મળવાના શરૂ થશે. અનેક વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાવાની ભીતી છે.

(3:29 pm IST)