Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શહરેના ૩ લાખ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઇ

ઓરી-રૂબેલા રસીકટણ અભિયાનનું છેલ્લુ સપ્તાહઃ બાકી રહેલ બાળકોને પેક રમત અપાવવા મેયર, મુનિ. કોમીરશ્નર, સ્ટી. ચેરમેન તથા આરોગ્ય સમિતિ ચેરમેનની શહેરજનોને અપીલ

રાજકોટ, તા.૧૧: ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો મુખ્યત્વે ધ્યેય ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોમાં ૨૦૨૦ સુધી ઓરી નાબુદ કરવી તથા રૂબેલાને નિયંત્રણ લેવાનો છે.રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૫૦ થી વધારે ટીમ દ્વારા આ કાર્યક્રમ સુરક્ષિત અમલીકરણ કરાવેલ છે. હાલમાં શાળાના તથા શાળાએ ન જતા કુલ ત્રણલાખથી વધારે ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કરેલ છે.તેના મ્યુનિ-કોપોરેશનના નાયબ આરોગ્ય અધિકારી શ્રી પી.પી. રાઠોડે જણાવ્યું હતું

આ ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંતિમ અઠવાડિયું હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦૦% રસીકરણ કરવા. આશાવર્કર, આંગણવાડી વર્કર તથા એ.એન.એમ દૈનિક ધોરણે રસીકરણ માટેનો લક્ષ્યાંક સિદ્ઘ કરવા વિસ્તારમાં સદાન સર્વેની કામગીરી. ઇન્ડીઅન મેડીકલ એસોસિયેશન તથા ઇન્ડીયન પીડીયાટ્રીક એસોસિયેશનના સહકારથી દરેક પ્રાઈવેટ પ્રેકટીશનર તથા બાળરોગ હોસ્પીટલમાં ઓરી રૂબેલાનું સઘન રસીકરણ ચાલુ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનાં ૨૧ આરોગ્ય કેન્દ્ર તથા રાજકોટની તમામ સરકારી હોસ્પીટલમાં દરરોજ ઓરી રૂબેલાનું રસીકરણ. શહેરી વિસ્તારમાં ગેર માન્યતાને કારણે બાકી રહી ગયેલા બાળકોને જુદા જુદા વિસ્તારના ધાર્મિક અગણીઓ, ધાર્મિક સંસ્થાઓ સાથે મીટીંગ આયોજન કરી ૧૮ જગ્યાએ કેમ્પ ગોઠવેલ છે. શહેરની જુદી જુદી ૨૮ કરટ્રકશન સાઈટ પર મજુર કોલોની વિસ્તારને મોબાઈલ આંગણવાડી દ્વારા સઘન રસીકરણનું માઈક્રોપ્લાનિંગ સહિતના વિવિધ મુદ્દે વિશિષ્ટ આયોજન કરેલ..

આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનો ૧૫મી સપ્ટેમ્બર છેલ્લી તારીખ હોય, વિનામૂલ્યે અપાતી આ રસીકરણ કાર્યક્રમમાં દરેક વાલીઓએ પોતાના વ્હાલસોયાને જોડાવા માટે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જૈમીનભાઈ ઠાકર તથા મ્યુનિ. કમિશનર પાનીએ રાજકોટવાસીઓને અપીલ કરેલ છે.(૨૨.૧૩)

(3:44 pm IST)