Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આજીડેમ પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠક

રાજકોટઃ આજે શ્રાવણ માસનો સોમવાર અને બકરી ઇદ બંને એક સાથે હોઇ હિન્દુ-મુસ્લિમ બિરાદરો શાંતિથી તહેવારની ઉજવણી કરે એ હેતુથી આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ.એલ. રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવી શાંતિથી અને ભાઇચારાની ભાવનાથી ઉજવણી કરવા સુચન કરાયું હતું. તેમજ બંને કોમના આગેવાનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

(3:45 pm IST)