Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મુંબઇ ઘાટકોપરમાં મહામંત્ર નવકાર શિબિર

શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં મનુભાઇ વનેચંદ સંઘવી પ્રેરીત નવકાર મહામંત્ર શિબિર મધ્યે જણાવેલ કે નવકાર મહામંત્ર છે. અપરાજીત મંત્ર છે અને એક પદની તાકાત ૫૦ સાગરોપમ અજ્ઞાતાને ક્ષય કરનાર છે. ભકિતમાં ભાવ ભળે તો ભકત ભગવાન બની શકે છે. આગમ અર્પણના લાભાર્થી દક્ષાબેન મુકેશભાઇ કામદાર સુધાબેન કનુભાઇ બાવીસી વગેરેનું સન્માન તેમજ સાંગલી-કોલ્હાપુર પુરગ્રસ્ત વિસ્તારમાં સુખડી સેળની સામગ્રી મોકલવા ૨ લાખનું ફંડ થયેલ. કાલે તા.૧૩ને મંગળવારે સવારે ૮ કલાકે દિક્ષાર્થી કુ. કોમલબેનની દિક્ષા આજ્ઞા અર્પણવિધિ પ્રસંગે સામૈયું હિંગવાલાબેન ઉપાશ્રયેથી પ્રારંભ થશે. નગરસેવીકા રાખી જાદવનું અભિવાદન કરાયેલ.

(3:44 pm IST)