Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

લાલપરીમાં હરેશ દશામાનું જાગરણ કર્યા પછી સુતા બાદ ઉઠ્યો જ નહિઃ બેભાન હાલતમાં મોત

અન્ય બનાવમાં માર્કેટ યાર્ડમાં બેભાન થઇ જતાં રાજુભાઇ પ્રજાપતિનું મોત

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતો હરેશ અમરશીભાઇ સાકરીયા (ઉ.૨૨) નામનો કોળી યુવાન દશામાનું જાગરણ કર્યા બાદ સુતા પછી ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હરેશ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને આંચકીની બિમારી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં જુના માર્કેટ યાર્ડ અંદર રાજુભાઇ મણીલાલ પ્રજાપતિ (ઉ.૪૦) ૧૧મીએ રાતે બેભાન થઇ જતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:25 pm IST)