Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભગવતીપરા પુલ પર બાઇક સ્લીપ થતાં મોત બાપુનગરના આહિર યુવાનનું મોત

જેસીંગભાઇ કુવાડીયા મિત્રને મળવા જતા'તા ત્યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: ભગવતીપરાના પુલ પર બાઇક સ્લીપ થઇ જતાં બાપુનગરના આહિર યુવાનનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જીલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં રહેતો જેસીંગભાઇ જીવાભાઇ કુવાડીયા (ઉ.૪૦) નામના આહિર યુવાન રાત્રીના અગિયારેક વાગ્યે ભગવતીપરાના પુલ પર બાઇક હંકારીને જતાં હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં બેભાન થઇ ગયા હતાં. કોઇએ તેમના ફોનમાંથી તેમના ભત્રીજા પ્રતાપભાઇ ગોવિંદભાઇ કુવાડીયાને જાણ કરી હતી.  ૧૦૮ના ઇએમટી ગોવિંદ રોજાસરા અને પાઇલોટ કોૈશિકભાઇએ તેમને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં.

જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે પહોંચી ગયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે જેસીંગભાઇએ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ વી. જી. બોરીચાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર જેસીંગભાઇ બે ભાઇમાં નાના હતાં અને રિક્ષાચાલક હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે રાતે મિત્ર પાસે કામ સબબ જવા નીકળ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો. (૧૪.૬)

(1:25 pm IST)