Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોના વધુ એક જીવ ભરખી ગયોઃ સરધાર હરિપરના વૃધ્ધનું મોત : આજના દિવસનું ચોથું મોત

રાજકોટના હુંબલ પરિવારને ત્યાં અંતિમવિધીની ધાર્મિક વિધીમાં પાઠ પુરવામાં હાજરી આપી હતી

રાજકોટઃ કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છેઃ થોડા દિવસ પહેલા રાજકોટ દિપ્તીનગરમાં હુંબલ પરિવારને ત્યાં  અંતિમવિધિમાં પચાસથી વધુ લોકો હાજર રહ્યા હતાં: જેમાં ૧૩નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોઃ એ પૈકીના સરધારના હરિપરના બાવાજી વૃધ્ધ ભવાનીદાસ જાનકીદાસ ગોંડલીયા (ઉ.વ.૬૦)નો રિપોર્ટ પણ ગઇકાલે પોઝિટિવ જાહેર થતાં રાજકોટ કોવિડમાં ખસેડાયા હતાં: અહિ આજે બપોરે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

 

(3:40 pm IST)