Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાજકોટ જિલ્લામાં બે વર્ષમાં ૩૧૮૯૬ કુવાઓનું વીજળીકરણ

ગાંધીનગર, તા. ૧ર : રાજકોટ જિલ્લામાં કુવાઓનું વીજળીકરણ અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, તા.૩૧/૩/૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કુલ ૩૧૮૯૬ કુવાઓનું વીજળીકરણ કરવામાં આવેલ છે.

કુવાઓના વીજળીકરણ યોજના પાછળ છેલ્લા બે વર્ષ દરમ્યાન રૂ.૪૯પ૭ર.૭૦ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. સરકાર કોઇપણ પ્રજાકીય યોજના માટે કાર્ય કરવા તત્પર છે.

(1:23 pm IST)