Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કારખાનામાંથી લીધેલા ઉપાડના ૪૦ હજાર પરત કરવાના ટેન્શનમાં વિજયનો ફાંસો ખાઇ આપઘાત

ગુલાબનગરમાં બનાવ : ઉત્તરપ્રદેશના યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક

રાજકોટ, તા. ૧ર :  માલધારી ફાટક પાસે ગુલાબનગરમાં રહેતા પરપ્રાંતિય યુવાને કારખાનામાંથી લીધેલા ઉપાડના પૈસા પરત  કરવાના ટેન્શનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશનો વતની હાલ રાજકોટ માલધારી ફાટક પાસે આવેલા ગુલાબનગર શેરી નં. ર૦માં રહેતા વિજય સંતરામભાઇ વિશ્વકર્મા (ઉ.વ.રપ) એ ગઇકાલે પોતાના ઘરે સાડી લાકડાની આડીમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ઘરે આવી ત્યારે પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી કિશનભાઇ છાયાએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.બી. જાડેજા તથા યોગરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વિજય કારખાનામાં મજુરીકામ કરતો હતો તેણે કારખાનામાંથી કટકે કટકે ઉપાડ પેટે પૈસા લીધા તા. ઉપાડના રૂ. ૪૦,૦૦૦ પરત કરવાના ટેન્શનના લીધે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

(12:50 pm IST)