Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મુંજકા પાસે તુટી ગયેલા પુલને તાત્કાલીક નવો બનાવવા શિવ સેનાની માંગણી

રાજકોટ, શહેરના મુંજકા પાસે આવેલ કોઝવે પુલ છેલ્લા પુલ દર વર્ષ વરસાદના પાણીના કારણે ધોવાઇ જાય છે. અને આ પુલ ઉપર થતી વાહનોની અવર-જવર તેની ક્ષમતાથી વધુ છે. ત્યારે ગત વર્ષે નુકસાન પામેલ આ પુલના કારણે આ વિસ્તારની અનેક સ્કુલો અને ગ્રામવાસીઓએ મુશ્કેલી ભોગવી હતી. છતા પણ આ પુલ ટુટેલી હાલતમાં હોવાથી શિવસેના ના જીમ્મી અડવાણી તેમજ એમની ટીમ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપીનેઙ્ગજર્જરીત પુલને  તાત્કાલીક રીપેર કરવા માંગ ઉઠાવી હતી.  તે વખતની તસ્વીર આ રજુઆતમાં જીમ્મીભાઇ, વિમલભાઇ, સંજય ટાંક, યુવી પટેલ, કુમારભાઇ ભટ્ટી વગેરે જોડાયા હતા.(૨૨.૧૮)

 

(4:24 pm IST)