Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

પાંજરાપોળ પાસે કેન્સરની બીમારીના કારણે રમેશભાઇ મકવાણાનું મોત

રાજકોટ તા.૧૨ : પાંજરાપોળ ચોક મેલડી માતાજીના મંદિર પાસે રહેતા કોળી પ્રૌઢનું કેન્સરની બિમારીથી મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ પાંજરાપોળ ચોક મેલડી માતાજીના મંદિર પાસે રહેતા  રમેશભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.૫૫)ને ઘણા સમયથી કેન્સરની બીમારી હોઇ તથી ગઇકાલે પોતાને ઘરે બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર  માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા  હતા. ત્યાં તપાસનીસ તબીબોએ જોઇ તપાસી તેનુ મોત નિપજ્યુ હોવાનું  જાહેર કર્યુ હતુ. મૃતક રમેશભાઇ મજુરી કામ કરતા હતા.  આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ. કોન્સ. ખોડુભા તથા રાઇટર હંસરાજભાઇએ કાર્યવાહી કરી હતી. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(1:51 pm IST)