Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે 'ડો.આંબેડકર અને ઓશો'પર વિશેષ કાર્યક્રમ

ભારતરત્ન ડો. આંબેડકર જયંતિ નિમિતે : વકતાઃનિતિનભાઇ ચાંડેગ્રા તથા આચાર્ય વિનોદ જાદવ

 રાજકોટઃ છેલ્લા ૩૩ વર્ષોથી ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે પર અવારનવાર વિવિધ પ્રસંગો ઉજવાય છે.

આગામી તા.૧૪ને રવિવારના રોજ ભારત રત્ન ડો. આંબેડકર જયંતિ નિમિતે હર સાલની માફક આ વર્ષે પણ ડો. આંબેડકર જયંતિ ઉત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. જેમાં સાંજના ૬:૩૦ થી ૮ દરમિયાન ઓશો સન્યાસી મીસ્ત્રી નિતિનભાઇ ચાંડેગ્રા (સ્વામી દેવ રાહુલ) તથા કાલાવાડ સ્કુલના આચાર્ય  શ્રી વિનોદ જાદવ (સ્વામી સત્ય કામ) ના ઓશો અને આંબેડકર પર વિશેષ પ્રવચન તથા સંધ્યા સત્સંગ, ઉત્સવ યોજાશે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી, રાજકોટ

વિશેષ માહિતીઃ સ્વામી સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, નિતિનભાઇ ચાંડેગ્રા (૯૯૨૪૨૩૪૦૯૬), વિનોદ જાદવ (૯૬૦૧૦૪૪૦૦૭)

(4:10 pm IST)