Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા રવિવારે રામજન્મોત્સવ યાત્રા

ડો.પ્રવિણભાઈ તોગડીયા દ્વારા સ્થાપીત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના નેજા હેઠળ : ભગવાન શ્રીરામ, રામદરબાર સહિતના ફલોટસઃ મહિલાઓ ધુન-ભજનની રમઝટ બોલાવશે

રાજકોટ,તા.૧૨: ડો.પ્રવિણભાઈ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા આગામી તા.૧૪ના રવિવારે શ્રી રામનવમી નિમિતે શ્રી રામ જન્મોત્સવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમા ભગવાન શ્રીરામનો મુખ્ય ફલોટ સાથે ઓજસ્વીનીનાં બહેનો દ્વારા શ્રીરામ દરબારનાં જીવંત ફલોટ સાથે ભવ્યપદયાત્રાના સ્વરૂપમાં શ્રીરામ જન્મોત્સવ યાત્રા નિકળશે. યાત્રામાં ધુન મંડળો સામાજીક સંસ્થાઓ પવિત્ર સમાજનાં આગેવાનો જોડાશે.

શ્રી રામ જન્મોત્સવ યાત્રા તા.૧૪ને રવિવારે સવારે ૯ કલાકે શ્રી રામજી મંદિર ૩ જુના ગણેશનગર કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન થશે. જે વોર્ડનં.૧૮ના વિવિધ વિસ્તારોમાં ફરી શ્રી રણુજા મંદિર કોઠારીયા રોડ ખાતે બપોરે ૧૨ કલાકે પૂર્ણ થશે. જયા ભગવાન શ્રી રામના અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પ સાથે મહાઆરતી કરવામાં આવશે.

શ્રી રામ જન્મોત્સવ યાત્રાને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઈ પટેલ, રાજકોટ અધ્યક્ષ છગનભાઈ પટોળીયા, કા.અધ્યક્ષ ચંદુભાઈ સોની, રાષ્ટ્રીય બજરંગદળ પ્રમુખ દિલીપભાઈ સોલંકીની આગેવાનીમાં ઘનાભાઈ આહિર, શૈલેન્દ્રભાઈ ટાંક, કરણભાઈ હેરમા, સંદિપભાઈ પરમાર, અશોકભાઈ હરસોરા, ભાવિનભાઈ સોની, નયનભાઈ સુચક, શિવદત્તભાઈ ધ્રુવ, મનોજભાઈ પરમાર, નૈમિષ હૈરભા, નિકુંજભાઈ હેરમા, પ્રફુલભાઈ ચાંગાણી, કશ્યપભાઈ પટેલ, ભુપતભાઈ ભરવાડ, હિરાભાઈ ખિહોર, વિજયભાઈ સુસરા, સુભાષભાઈ ચંદારાણા, પ્રભાતભાઈ આહિર, મેરામભાઈ રાઠોડ, જયવિરસિંહ જાડેજા, રામાભાઈ ડાંગર, મનીષભાઈ બોરીચા, ચંદુભાઈ ડાંગર, રમેશભાઈ ડાંગર, લાલભાઈ ડાંગર, જયદિપભાઈ પટેલ, અશ્વિનભાઈ ગોહેલ, મહેન્દ્રભાઈ તલાટીયા (મો.૯૪૨૬૬ ૬૭૩૯૮) તેમજ ઓજસ્વીનીનાં બહેનો દિવ્યાબેન ટાંક, ક્રિષ્નાબેન પીઠડીયા, શિલ્પાબેન નથવાણી, દેવાંશીબેન ટાંક, માધવીબેન હરસોરા, સરલાબેન ત્રિવેદી, સુમિતાબેન હેરમા, કાજલબેન ટંકારીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવિકોને શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)