Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

રાજકોટમાં વધુ એક હત્યા : ૪૮ વર્ષના મુકેશભાઈ મોહનભાઈ વાળા નામના કડીયા આધેડને છરીના ઘા ઝીંકી રહેંસી નખાયાઃ મૈત્રીકરારનો ડખ્ખો કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ

રાજકોટ : શહેરમાં આજે વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે : ૪૮ વર્ષના મુકેશભાઈ મોહનભાઈ નામના કડીયા આધેડની કોઠારીયા રોડ ઉપર કેદારનાથ સોસાયટીનાં ગેઈટ પાસે જ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી : બનાવની જાણ થતા જ ભકિતનગર પીઆઈ વી. કે. ગઢવી તથા મદદનીશ નિલેશ મકવાણા  સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મુકેશભાઈએ નારાયણનગર વિસ્તારની ૩૦ વર્ષની એક યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા. પોલીસને શંકા છે કે યુવતીના પરીવારજનોને આ સંબંધ માન્ય ન હોય મુકેશભાઈની હત્યા કરી નાખી હોઈ શકે. જોકે સાચી વિગતો તપાસ પૂર્ણ થયે ખુલશે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(6:19 pm IST)