Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગુરૂવારે પૂ.શામજીબાપુનો ૩૬મો પૂણ્યતિથિ મહોત્સવ

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા ધર્મસભા - શોભાયાત્રા - પૂજનવિધિ સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૨ : આગામી તા.૧૪ના ગુરૂવારે પરમ પૂજય સંત શિરોમણી પૂ.શામજીબાપુની ૩૬મી પૂણ્યતિથિ મહોત્સવ ઉજવાશે. શોભાયાત્રા, ધર્મસભા, પૂજનવિધિ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા છે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ આયોજીત શ્રી શ્યામ મંદિર સમિતિ દ્વારા ૧૪મીના ગુરૂવારે શ્રી શ્યામ મંદિર (બાયપાસ રીંગ રોડ, રામનગર, રાજકોટ મો.૯૪૨૬૯ ૪૯૦૩૭) ખાતે સવારે ૬ વાગ્યે પૂજનવિધિ બાદ ૭ વાગ્યાથી કમલેશ્વર મંદિર (કોઠારીયા મેઈન રોડ) ખાતેથી શોભાયાત્રા નીકળશે.

ત્યારબાદ મહાપ્રસાદ શરૂ થશે. સાંજે ૬ વાગ્યે મહાઆરતી રાખેલ છે.

તે જ દિવસે રાત્રીના ૧૦ વાગ્યાથી આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં કાળુબાપુ, વિપુલ મહારાજ, મીનાબા જાડેજા, ભીખુભાઈ માળવીયા જમાવટ કરશે.

આયોજનને સફળ બનાવવા શ્રી શ્યામ મંદિર સમિતિ ટ્રસ્ટના સર્વશ્રી પ્રમુખ  અરવિંદભાઇ જાદવજીભાઇ રાઠોડ (મો. ૯૪ર૬૮ ૪૯૦૩૭),  ઉપપ્રમુખ ચંદુભાઇ ખીમજીભાઇ ગરનારા (મો. ૯૮ર૪૮ ૧૨૪ર૭), ખજાનચી દિનેશભાઇ લાલજીભાઇ મારૂ (મો. ૯૪૦૮૮ ૯૬૮૬૮), તેમજ   સભ્યો વિનોદભાઇ મોહનભાઇ યાદવ (મો. ૯૮રપ૭ ૬૫૮૬૫),  સાગરભાઇ રસિકભાઇ પરમાર (મો.૯૮૯૮૧ ૪૫૮૫૮),  મહેશભાઇ અરજણભાઇ સોલંકી (મો. ૯૮રપપ ૪૮૬૯૭),   હસુભાઇ ગોકળભાઇ કાચા (મો. ૯૮૨૪૮ ૩૪૩૫૪),   સુરેશભાઇ મનસુખભાઇ ટાંક (મો. ૯૮ર૪ર ૦૯૬૪ર),   નટુભાઇ કરશનભાઇ વાઘેલા (મો. ૯૯૭૯૯ ૮૭૯૮૩),    નિલેશભાઇ દેવજીભાઇ રાઠોડ  (મો. ૯૬૩૮૯ ૦૧૯૯૧),  રીતેષભાઇ નરેન્દ્રભાઇ ટાંક (મો. ૯૮રપર ૯૫૩૩૩)  જહેમત ઉઠાવી રહયા છે. (૪૦.૮)

(3:41 pm IST)