Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જીજીઆરસી યોજનામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરોઃ ચેકડેમ-તળાવ અંગે ૯૦-૧૦ ટકાની યોજના રાખો

ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદનઃ કલેકટરને જ આવેદન આપવાની હઠ

ભારતીય કિસાન સંઘે આજે કલેકટર કચેરીએ દેખાવો યોજી એડી. કલેકટરને આવેદન પાઠવ્યું હતું.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૧: ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને આવેદન પાઠવી જીજીચારસી યોજનાના અમલી કરવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ કરવા માંગણી કરી હતી, આવેદન સમયે કિસાન સંઘે કલેકટરને જ આગ્રહ રાખતા વાતાવરણ થોડું તંગ બન્યું હતું, એડી. કલેકટરે સમજાવ્યા છતા માન્યા ના હતા, આવેદનમાં જણાવેલ છે કે, ગુજરાત સરકાર અને ભારત સરકાર વતી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની વર્ષ ૨૦૦૫થી રાજ્યમાં ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતોની આ સુક્ષ્મ સિંચાઇનો લાભ મળેલ છે અને તેઓ પાણી બચાવવામાં, ઉત્પાદન વધારવામાં અને ખેતીનો વ્યવસાય ટકાવી રાખવામાં સફળ રહ્યાં છે. યોજના સફળતા પૂર્વક ચાલી રહી છે અને ખેડૂતો તેના દ્વારા પ્રશંસનીય ખેતી કરી રહ્યાં છે. સરકારી સહાય આધારિત આ યોજનામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે.

જેમાં ટ્રાયલ રન કરવાને બદલે સંકેલેલ નળી સેઢે રાખીને ચકાસણી કરવા, ૭૦ ટકા સહાય ૭ વર્ષ બાદ પણ મળે તે જોવા, ફુવારા બનાવેલ ખેડૂતો તેની યુનિટ કોસ્ટની લીમીટ બાકી હોય તે મર્યાદામાં ટપક પણ વસાવી શકે તે તાકિદે ચાલુ કરવા, ૧૨ ટકા જીએસટી નાબુદ કરવા, વિગેરે માંગણી કરાઇ હતી.

આ ઉપરાંત આવેદનમાં તળાવ ઉંડા ઉતારવા ચેકડેમોની મરામત તેમજ ગાંડા બાવળો દૂર કરવા માટે જે નર્મદા અને જળ ંસંપતિ વિભાગના -૬-૦૨-૨૦૧૯ના પરિપત્ર થી યોજના અમલમાં મુકેલ છે. જેમાં ૬૦% ખર્ચની રકમ સરકાર દ્વારા ચુકવવામા઼ આવશે બાકી ૪૦% રકમ સંસ્થાઓ તેમજ લોક ભાગીદારીથી ચુકવવાની રહેશે તેવો નિર્ણય કરેલ છે.

આ અગાઉના વર્ષોમાં આજ પ્રકારની કામગીરી માટે ૮૦% સરકારશ્રી ચુકવતી હતી તો ચાલુ વર્ષે રાજ્યના ઘણા જિલ્લાઓમાં દૂષ્કાળ અને અછતની સ્થિતિ છે જે ને કારણે લોક ભાગીદારીનો ૪૦% ફાળો બોવ મુશ્કેલ તેમજ વધારે પડતો જણાય છે. જેથી દુષ્કાળ અને અછતની સ્થિતિને ધ્યાને લઇને ૯૦% -૧૦% નો રેશિયો રાખવા વિનંતંી કરાઇ છે.

(3:53 pm IST)