Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

સરધારમાંથી મધ્યપ્રદેશની આદિવાસી બાળાને અલિરાજપુરનો વિજય ચોહાણ ભગાડી ગયો

રાજકોટઃ સરધાર ગામમાં પવાભાઇ કાળુભાઇ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના અલિરાજપુરના મહુડા ફળીયા ગામના નરસિંહભાઇ નરતુભાઇ મહેડા (ભીલ આદિવાસી)ની સગીર વયની દિકરીને ૬/૧ના સવારે ચારેક વાગ્યે તેના જ વતન અલીરાજપુરના ગીરલા ગામનો વિજય સુમારીયાભાઇ ચોૈહાણ લલચાવી ફોસલાવી ભગાડી જતાં આજીડેમ પીઆઇ એ. એસ. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:58 am IST)